॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૭૧: ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે

મહિમા

પ્રમુખસ્વામી મહારાજ કહે, “શ્રીજીમહારાજ અનંત જીવોને પોતાની નિષ્ઠા થાય – એ સંકલ્પ લઈને પોતાના અક્ષરધામ અને મુક્તોને લઈને આવ્યા. ગઢડા પ્રથમના ૭૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે આ વાત કરી છે. આ આદેશને શાસ્ત્રીજી મહારાજે ઝીલીને દરેકને આ વાત કરી. મહારાજના વચન પ્રમાણે-આજ્ઞા પ્રમાણે જેટલું અક્ષરપુરુષોત્તમની વાત સમજાવવાનું કાર્ય થાય એટલા આત્મસત્તારૂપ થયા કહેવાઈએ. આપણે ય એ આદેશ ઝીલવાનો છે-આત્મસત્તારૂપ થવાનું છે. ભરવાડનો લાકડિયો સંદેશો કહેવાય. એકને મળે, એ બીજાને વાત કરે. એમ કરતાં લાખો ભેગા થઈ જાય. તેમ આપણે અક્ષરધામથી આવેલો તાર છે. બધાને એ પહોંચાડવો છે. એ કરવાનું છે તો આપણો દેહ સાર્થક થશે.”

[સંજીવની: ૧/૪૬]

Pramukh Swāmi Mahārāj says, “Shriji Mahārāj came from Akshardhām, along with his muktas, with the wish that infinite jivas develop his nishthā - he mentioned this in Vachanāmrut Gadhadā I-71. Shāstriji Mahārāj spread Mahārāj’s message to everyone. If everyone spreads this message to everyone as according to Mahārāj’s āgnā, then one can be said to behave as the ātmā (as according to Gadhadā II-51). We have to ‘catch’ this message and behave as the ātmā. When one speaks of this to another, and he speaks to another... a hundred-thousand will develop this nishthā. This is a wire from Akshardhām that we have to spread to everyone. When we do this, then our life will be fruitful.”

[Sanjivani: 1/46]

મહિમા

પ્રમુખસ્વામી મહારાજ કહે, “વચનામૃત ગઢડા પ્રથમ ૭૧ પ્રમાણે અક્ષરધામ સહિત ભગવાન આવ્યા છે તે વાત સમજવી ને બીજાને કરવી. શાસ્ત્રીજી મહારાજે આ વાત પ્રગટ કરી. માટે આપણે નિધડકપણે આ વાતો કરવી. વાત સાચી છે તે ગમે ત્યાં નાખો ત્યાં ઊગશે. ખોટો રૂપિયો હોય તે સગા ભાઈને આપીએ તોય બીક લાગે છે કે પાછો આપશે? કોઈને સમજાશે કે નહીં સમજાય? તેવી બીક રાખી વાત કરવામાં કસર ન રાખવી. માટે વાત કરવી. ઊગ્યા વગર રહેવાનું નથી.”

[સંજીવની: ૧/૮૬]

Pramukh Swāmi Mahārāj says, “According to Vachanāmrut Gadhadā I-71, Bhagwān came along with his Akshardhām - one should understand this and explain it to others. Shāstriji Mahārāj spread this message; therefore, we should also fearlessly speak about this to others. The message is truthful so it will grow in the heart of whoever you speak to. Forsake the fear of whether someone will understand this or not and speak frerely. It will grow (in their heart) no matter what.”

[Sanjivani: 1/86]

નિરૂપણ

તા. ૧૯૭૭/૬/૭, લંડન. મંદિરે પૂજા બાદ કથાની રસલહાણમાં આજે ગઢડા પ્રથમ પ્રકરણના ૭૧મા વચનામૃત પર વાત કરતાં કહ્યું કે:

“શ્રીજીમહારાજે રમૂજ કરતાં કરતાં સૌના જીવમાંથી જગત કાઢી નાંખ્યું. હેતે કરીને વાત સમજાય, કાયદા કે દબાણથી ન થાય. આ સ્વરૂપને વિષે દિવ્યભાવ હોવો જોઈએ. અહીં મનુષ્યસ્વરૂપે છે તો પણ એ જ અક્ષરધામનું સ્વરૂપ છે ને અક્ષરધામમાં છે એ જ અહીં છે. એમાં જુદો ભાવ સમજવાનો નથી. જુદું સમજાય એટલી આપણને કસર રહે. આ સ્વરૂપ મળ્યું છે તે જ સાચું છે. એમાં જ બધું સમજાય એટલે પરિપૂર્ણ નિશ્ચય થઈ ગયો. આ સ્વરૂપને વિષે સર્વપ્રકારે જોડાઈ જવું એ સમાધિ. એમાં બ્રહ્મપુરધામ આવી ગયું. આ સ્થાન અક્ષરધામ બની ગયું...”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૩૩૩]

June 7, 1977, London. After performing puja at the mandir, Swamishri explained Vachanamrut Gadhada I-71:

“By displaying an amusing personality, Shriji Maharaj slowly eradicated the predominance of this world from the jivas. Others believe our talks if spoken with love; however, people will not believe by passing laws or by force. One should have the perception of divinity toward this form (referring to himself). Even though he is here in a human form, he is the the very same form that is in Akshardham. And the form that is in Akshardham is the form that is here. One should not understand the two forms differently. When one understands these two forms as distinct, that much deficiency remains. When one believes everything in included in this form, that is complete nischay. To attach oneself to this form in every way is samādhi. The Brahmapurdham is included in that. This place becomes Akshardham...”

[Brahmaswarup Pramukh Swami Maharaj: 3/333]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase